Saturday, September 5, 2009

~*~એ બહાર જો જશે તો બચાવી નહીં શક~*~

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.   

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.   

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.   

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,

સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.   

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,

જ્યારે તને કશું ય સતવી નહીં શકે.   

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,

તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.   

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,

એ બહાર જો જશે તો બચાવી નહીં શકે. 

 ------------------------------------------

વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ ) જન્મ: સુરત વસવાટ: મુંબાઈ વ્યવસાય: પત્રકાર   

સુખનવર શ્રેણી ( મરીઝ ) માંથી સાભારપુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની

No comments: